રાજધાની

Article in other languages:

રાજકીય વહીવટી એકમના મુખ્ય મથક ને રાજધાની કે પાટનગર કહે છે. માનવ ઇતિહાસ માં જ્યારથી રાજ્યો અસ્તિત્વમાં આવ્યા છે ત્યારથી કોઇ ને કોઇ સ્વરૂપમાં રાજધાની અસ્તિત્વમાં રહી છે. રાજાશાહી ના સમયમાં, રાજા જે નગર માંથી પોતાના રાજ્યનું સંચાલન કરતો હોય, તેને રાજધાની નો દરજ્જો આપવામાં આવે છે.

સ્વાભાવીક રીતે આ વહીવટી હોદ્દાના એકલાના કારણેજ રાજધાની નું ખાસ મહત્વ રહે છે. આજ કારણસર ઘણી વાર રાજધાની અન્ય ક્ષેત્રોમાં પણ મુખ્ય સ્થાન પ્રાપ્ત કરે છે, જેમકે સૌથી સમૃદ્ધ શહેર, સાંસ્કૃતિક કેન્દ્ર, સૌથી વધુ વસ્તી વાળું મહાનગર, વગેરે.

ભારતના ઇતિહાસ માં ઘણા શહેરો રાજધાની તરીકે આગળ આવ્યાં છે. પૌરાણીક કાળ માં હસ્તિનાપુરભરતરાજા ના સામ્રાજ્યની રાજધાની હતું. નંદ તથા ગુપ્ત વંશ દર્મ્યાન મગધ રાજ્યની રાજધાની પાટલિપુત્ર(આજનું પટના) ભારતનું એક અત્યંત મહત્વનું શહેર હતું. ત્યાર પછી મુસલમાન અને મુઘલ રાજ્ય દર્મ્યાન હસ્તિનાપુર ના સ્થાનેજ બનેલું નવું નગર દિલ્હી આગળ આવ્યું, કે જે આજે ભારતની રાજધાની છે.

Questions for article:

This article is from Wikipedia. All text is available under the terms of the GNU Free Documentation License.


IHS Europe: Infrared Heating Systems for Home and Business.